Skip to content Skip to sidebar Skip to footer

Pradhan Mantri Awas Yojana Gramin Survey : ₹1 લાખ 20 હજારની સહાયતા મેળવવા માટેની નવા લિસ્ટમાં તમારું નામ કેવી રીતે જોશો?

PM Awas Scheme Gramin Survey : ₹1 લાખ 20 હજારની સહાયતા મેળવવા માટેની નવા લિસ્ટમાં તમારું નામ કેવી રીતે જોશો?

Pm Gramin Aavas yojana gujarat

શું તમે પણ પાકા ઘરનું સપનું જોઈ રહ્યા છો? પીએમ આવાસ યોજના ગ્રામીણ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હવે ₹1,20,000 લાખની સહાયતા માટેની લાભાર્થીઓની સૂચિ તૈયાર થઈ રહી છે. તમારું નામ ચેક કરવાની સાદી રીત અહીં જાણો અને પાકું મકાન મેળવો

નમસ્કાર દોસ્તો, શું તમે ગામડામાં રહો છો અને હજુ પણ કાચા ઘરમાં ગુજરાન ચલાવો છો? તો તમારા માટે એક સારા સમાચાર છે! ભારત સરકારે દરેક ગરીબ પરિવારને પાકું મકાન આપવાના લક્ષ્ય સાથે ગ્રામીણ સર્વે પૂર્ણ કરી દીધો છે. લાખો પરિવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે અને હવે તેમને ₹1,20,000 લાખ સુધીની નાણાકીય સહાય મળવાની તૈયારી છે. આ અંગેની સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.

નવો ગ્રામીણ સર્વે શા માટે શરૂ થયો?

પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર, 2025 ની શરૂઆતમાં, ભારત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ સર્વે શરૂ કર્યો. આનો મુખ્ય ઉદેશ્ય એવા પરિવારો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો છે જેઓ ખરેખર ગરીબ છે, ગામમાં રહે છે અને અત્યાર સુધી પાકા ઘરથી વંચિત રહ્યા છે.

ગ્રામીણ સર્વે માટે મુખ્ય પાત્રતા ના નિયમો શું હતા? જાણો માહિતી 

કેન્દ્ર સરકારે આ સર્વેમાં ફક્ત તે જ પરિવારોને સામેલ કર્યા હતા જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે. સર્વેના મુખ્ય નિયમોમાં આ બાબતોનો સમાવેશ થતો હતો:

  • અરજી કરનાર ગામડામાં રહેતો હોવો જોઈએ.
  • તેની પાસે હાલમાં કાચું ઘર હોવું જોઈએ.
  • કુટુંબ પાસે કોઈ મોટી સ્થાયી સંપત્તિ ન હોવી જોઈએ.
  • તેઓ ગરીબી રેખા (બીપીએલ) માં આવતા હોવા જોઈએ અને તેની પાસે સંબંધિત ડોક્યુમેન્ટ જેમ કે રેશન કાર્ડ હોવા જરૂરી હતા.

સરકારના આંકડા મુજબ, લાખો ગ્રામીણ પરિવારોએ આ સર્વે ફોર્મ ભર્યા છે. આ ગ્રામીણ સર્વે માં અરજી કરનાર પાત્ર લોકોને જ ઘર બાંધકામ માટે નાણાકીય સહાયતા મળશે.

લાભાર્થીઓની યાદી કેવી રીતે જોવી?

ગ્રામીણ સર્વેનું કામ પૂરૂ થઈ ગયું છે અને હવે સરકાર યોગ્યતાની ચકાસણી કરીને લાભાર્થીઓની લિસ્ટ તૈયાર કરી રહી છે. એકવાર આ યાદી તૈયાર થઈ જાય, પછી તેમાં નામ ચેક કરવું ખૂબ જ સરળ છે. આ સરળ સ્ટેપ્સ અનુસરો:

  1. સૌ પ્રથમ PM આવાસ યોજના ગ્રામીણના અધિકૃત પોર્ટલ (Official Portal) પર જાઓ અને સાઇટ પર લોગિન કરો.
  2. ત્યારપછી ‘Awaassoft’ સેક્શનમાં જઈને લાભાર્થી રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  3. પછી અહીં તમારું રાજ્ય, જિલ્લો અને ગ્રામ પંચાયતની જાણકારી ભરો અને સબમિટ કરો.

આમ કરવાથી, સ્ક્રીન પર નવી ગ્રામીણ સર્વે ના આધારે તૈયાર થયેલી લાભાર્થીઓની યાદી દેખાશે.

આ યોજના મુજબ, ગ્રામીણ પરિવારોને તેમના પાકા ઘર માટે ₹1,20,000 લાખની મદદ આપવામાં આવે છે. આ સિવાય, મજૂરી માટે વધારાના ₹30,000 પણ આપવામાં આવે છે. આ સહાય ગરીબ પરિવારો માટે ખરેખર મોટી રાહત છે.

જો તમે પણ ગગ્રામીણ સર્વેમાં ભાગ લીધો છે, તો આ લાભાર્થીની લિસ્ટમાં તમારું નામ તપાસ કરવા માટે તૈયાર રહો. તમારું પાકું મકાન બનાવવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે.

ટિપ્પણી પોસ્ટ કરો for "Pradhan Mantri Awas Yojana Gramin Survey : ₹1 લાખ 20 હજારની સહાયતા મેળવવા માટેની નવા લિસ્ટમાં તમારું નામ કેવી રીતે જોશો?"