Free Parivahan Suvidha: ધોરણ 1 થી 12 ભણતા વિધ્યાર્થીઓ માટે મફત પરિવહન ચાલુ , જાણો કેવી રીતે લાભ મેળવી શકાય

Free Parivahan Suvidha: ધોરણ 1 થી 12 ભણતા વિધ્યાર્થીઓ માટે મફત  પરિવહન ચાલુ , જાણો માહિતી 

મફત પરિવહન સુવિધા માટેના નિયમો, વિનામુલ્યે પરિવહન સુવિધા,

Short Briefing - મફત પરિવહન સુવિધા, Free Transportation Services, Mafat Parivahan Suvidha, પરિવહન સુવિધાનો લાભ લેવા શું કરવું ?, મફત પરિવહન સુવિધા માટેના નિયમો, વિનામુલ્યે પરિવહન સુવિધા, 

Free Transportation Services નિશુલ્ક પરિવહન સુવિધા: 18/11/2024 થી શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે અને દરેક વિદ્યાર્થીનું અભ્યાસનું કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે તેથી તેઓ ટાઇમ પર શાળાએ પહોંચી શકતા નથી અથવા તો અભ્યાસ થી જ સાવ વંચિત રહી જતા હોય છે. આવું ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે જેની વિગતવાર વિગતો નીચે પ્રમાણે છે.

Mafat Parivahan Suvidha | નિશુલ્ક પરિવહન સુવિધા

Mafat Parivahan Suvidha સમગ્ર શિક્ષા મુજબ રાજ્યની ધો 1 થી 8ની સરકારી પ્રાથમિક અને ધો 9 થી 12ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે પરિવહન સુવિધા આપવામાં આવશે જેથી કોઈ પણ વિદ્યાર્થી આભાસથી વંચિત ના રહી શકે પણ આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક નિયમોનું પાલન કરવું જરૂરી છે જે નીચે મુજબ છે.

મફત પરિવહન સુવિધા માટેના નિયમો : Mafat Transportation Services

  1. ધો 1 થી ધો 5ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેવાનુ અંતર 1 કિલોમીટર થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
  2. ધો 6 થી ધો 8ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેવાનુ અંતર 3 કિલોમીટર થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
  3. ધો 9 થી ધો 12ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેવાનુ અંતર 5 કિલોમીટર થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ.
  4. સૌથી જરૂરી બાબત કે ધો 1 થી ધો 12 માં પ્રમાણેની નિયાનોનું પાલન કરતા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ આ સુવિધાનો લાભ મળવા લાયક છે.

આ પરિવહન સુવિધાનો લાભ મેળવવા શું કરવું ?

જો તમે આપણાં રાજ્યના અંતરિયાળ વિસ્તારના રહેવાસી છો અને ઉપર મુજબની નિયમોનું પાલન કરો છો તેમજ શાળાએ જવા માટે સરકારની આ પરિવહન સુવિધાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે તમારી નજીકની શાળાનો કોંટેક્ટ કરવાનો રહેશે અને આ વિનામુલ્યે પરિવહન સુવિધા વિશે જાણકારી મેળવવાની રહેશે.

આ ઉપરાંત આ વિશે વધારે જાણકારી માટે Email- transportspo@ssguj.in અથવા તો મોબાઈલ નંબર -7574800748 પર કોલ કરી આ વિશેની વધુ વિગતો મેળવી શકો છો

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો