ડૉ.આંબેડકર આવાસ યોજના 2025 | Dr Ambedkar Awas Scheme 2025 Apply Online
ડૉ.આંબેડકર આવાસ યોજના 2025 અરજી કરો - આ રીતે | Dr Ambedkar Awas Scheme Apply Online Link
Dr Ambedkar Awas Scheme 2024 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મુજબના જિલ્લા કક્ષાએ સામાજિક સુક્ષાની કચેરીઓ આવેલ છે. જેમાં અંત્યદય લોકોને જીવનમાં સુધારો આવે ત્યારે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે. જે માંથી આજે આપણે આંબેડકર આવાસ સ્કીમ ૨૦૨૪-25 યોજનાની વિગતે જાણકારી મેળવીશું. આંબેડકર આવાસ સ્કીમ ગુજરાતમાં કોને કોને મળશે લાભ ?, શું પ્રોસેસ છે ? , કયાં ક્યાં દસ્તાવેજ જોઇશે ? ક્યાં ઓનલાઇન અરજી કરવી? વિગતે જાણકારી આ લેખમાં મેળવીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 આવાસ યોજના ફોર્મ 2024 Ambedkar Awas Yojana Check Status પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ pdf 2024 પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી (નં પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ સમાજ કલ્યાણ આવાસ યોજના
Dr Ambedkar Awas Yojana 2024-25 | ડૉ.આંબેડકર આવાસ યોજના 2024-25 વિગતો
- લેખનું નામ નામ- ડૉ. આંબેડકર આવાસ યોજના,ગુજરાત ૨૦૨૩-૨૪
- અમલીકરણ - ગુજરાત સરકાર
- હેતુ - અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લા પ્લોટ સાથે, બિનનિવાસી
- લાભાર્થી - અનુસૂચિત જાતિ ઘરવિહોણા પરિવાર
- અરજીનો પ્રકાર - ઓનલાઈન
- સહાય રકમ - રૂ.1,20,000 સહાય
- સત્તાવાર પોર્ટલ - https://esamajkalyan.gujarat.gov.in
યોજનાનો હેતુ (ઉદ્દેશ્ય) કોને મળશે સહાય લાભ ?
અનુસૂચિત જાતિના નબળી નાણાકીય સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વગરના લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે લોકો ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ લાયક ન હોય તેવું મકાન ધરાવનાર લોકોને મળશે લાભ.
લાભ મેળવવા માટે જરૂરી પાત્રતા
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના મુજબ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.1,20,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ ન હોવી જોઇએ.
- મકાનની સહાયની રકમ રૂ.1,20,000 રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને રૂ. 12,000 ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે સ્કીમના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.1,20,000 ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના મુજબ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ સ્કીમ” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.10,00,000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ,7,00,000 ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Yojana મુજબ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી બે વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ રહેશે.
આંબેડકર આવાસ યોજના સહાયની રકમ માહિતી નીચે મુજબ છે.
હપ્તાની જાણકારી
- પ્રથમ હપ્તો - ₹40,000 (વહીવટી મંજૂરીના હુકમ સાથે)
- બીજો હપ્ત - ₹.60,000 (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ)
- ત્રીજો હપ્તો - ₹.20,000 (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી)
- કુલ રકામ - 1,20,000
વધુમાં,શૌચાલય માટે જેમને ₹. 12,000 ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે સ્કીમના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાય માંથી શૌચાલય બનાવવાનું રહેશે.
ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- જાતિ/પેટા જાતિ નો દાખલો
- કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પહેલા પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજી કરનારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની ઝેરોક્ષ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટોકોપી
ઓનલાઇન અરજી કરવાની રીત (પ્રક્રિયા)
- ઈ-સમાજ કલ્યાણ વેબ સાઇટ ઓપન કરવા માટે browser (Internet Explorer, Chrome, Firefox પૈકી કોઈ પણ એક) ઓપન કરો અને https://esamajkalyan.gujarat.gov.in/ ટાઇપ કરો
- ઈ-સમાજ કલ્યાણ સાઇટ પર રજીસ્ર્ર થવા માટે Please Register Here link ટેબ પર ક્લલક કરો.
- Register ટેબ પર કર્યા બાદ એક મેનું ખુલશે જેમાં તમારું નામ, લીંગ, જન્મ તિથી તથા જાતિની જાણકારી ભરવી.
- Register થયા બાદ તમારું User ID અને Password તમારા ફોન નંબર પર મેસેજ દ્વારા
- મોકલવામાં આવશે. (જો Email ID ની જાણકારી લખી હશે તો મેઇલ પણ મોકલવામાં આવશે)
- Login થવા માટે તમારું User ID અને Password તથા Captcha Code ની જાણકારી ભરીને Login
- ટેબ ઉપર કલિક કરો.
- પહેલી વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય અંગત માહિતી ભરવાની રહેશે.
- પોર્ટલમાં યોજનાને લગતી અંગત જાણકારી ભરશો.
- તમારી અરજીની માહિતી જોવા માટે જે તે અરજીની ઓલાઈનમાં View Application પર ક્લિક
- કરવું.
- બધી વિગતો ભરીને Submit ટેબ પર ક્લિક કરો.
અરજીનો સ્ટેટસ જોવાની રીત (પ્રોસેસ)
- તમારી કરેલી અરજીનું સ્ટેટસ જાણવા માટે View Application Status ટેબ પર કલિક કરવી.
- પછી તમારી અરજીનો નંબર નાખો.
- તમારી જન્મ તિથી લખો.
- ત્યાર બાદ છેલ્લે View Status ટેબ પર કલિક કરો અને જુઓ તમારી અરજીની સાચી સ્થિતિ.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો